ચાલો મંથન કરીએ
· ગુનેગારો સાથે સખતાઈ જોઈએ, લોકો સાથે સભ્યતા. ગુનેગારોમાં પોલીસનો ડર હોવો જોઈએ અને લોકોમાં પોલીસ માટે આદર હોવો જોઈએ.
· પોલીસ દળ સંવેદનશીલ છે. પારદર્શક અને ઉત્તરદાયી છે તેવી લોકોને સહાનુભૂતિ થવી જોઈએ.
· લોકોમાં વિશ્વાસ ત્યારે જ દૃઢ બને જ્યારે લોકો તંત્ર પ્રત્યે આદરથી જુએ અને તંત્ર લોકો પ્રત્યે સંવેદનશીલ બને.
· પોલીસ દળ સંવેદનશીલ ત્યારે બને જ્યારે ભોગ બનનારની જગ્યાએ પોતાની જાતને મૂકે ત્યારે.
· પોલીસ તંત્રમાં ડેમોક્રેટિક મેનર્સ-લોકશાહી રીતભાત અને ડેમોક્રેટિક એડમિનિસ્ટ્રેશન-લોકશાહી સંચાલનની જરૂર છે તો જ પારદર્શકતા આવે. પારદર્શકતા જ વહીવટને શુદ્ધ રાખી શકે છે અને તો જ તંત્ર ઉત્તરદાયિત્વ બની શકે. તંત્રની જડતા, સ્થગિતતા અને સંવેદનહીનતા નિવારવાનો માર્ગ છે. લોકજાગૃતિ નાગરિક સભાનતા.
· લોકો દ્રારા પોલીસને ગુન્હેગારોની માહીતી પુરી પડે અને માહીતી આપનારનુ નામ ખાનગી રાખવામા આવે તે જોવુ જરૂરી છે.