|
પ્રજાના મૂળભુત હક્કો તથા અધિકારો
|
૧.
|
કાયદા સમક્ષ સમાનતા
|
ભારતમાં
કોઈ પણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની અથવા કાયદાના સમાન રક્ષણને
ના પાડી શકાશે નહીં.
|
ર.
|
સર્વધર્મ સહિષ્ણુતા
|
કોઈ નાગરિકની સામે જાતિ-જ્ઞાતિનો ભેદભાવ રાખી શકાશે
નહીં. તેમ જ જાહેર અને સાર્વજનિક સ્થળોએ મુક્ત રીતે હરીફરી શકે છે અને પ્રવેશ કરી શકે છે.
|
૩.
|
વ્યવસાય
|
સરકારી નોકરી તથા હોદ્દાઓ ઉપર નિમણૂક બાબતે સમાન તકો રહેશે.
|
૪.
|
વાણીસ્વાતંત્ર્ય
|
કોઈ પણ નાગરિકને વાણીસ્વાતંત્ર્ય તથા પોતાના વિચારો મુક્તપણે અભિવ્યક્ત કરવાના હક્ક છે.
|
પ.
|
ગુના માટે દોષિત
|
કોઈ વ્યક્તિ ઉપર જે કૃત્ય માટે તહોમત મુકાયું હોય તે કૃત્ય કરતી વખતે અમલમાં હોય તે કાયદાનો ભંગ કર્યો હોય તે જ ગુનામાં દોષિત ઠરાવી શકાય.
|
૬.
|
જાત અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણ
|
કાયદાથી સ્થાપિત કાર્યરીતિ અનુસાર હોય તે સિવાય કોઈ
વ્યક્તિનો જાન કે શરીર સ્વાતંત્ર્ય છીનવી લઈ શકાય નહીં.
|
૭.
|
શોષણ સામેના હક્કો
|
મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવાતી મજૂરી, કાયદાના ઉલ્લંઘન કાયદાનુસાર શિક્ષાપાત્ર ગુનો ગણાશે.
|
૮.
|
ધર્મ સ્વાતંત્ર્યનો હક્ક
|
દરેક નાગરિકને જાહેર
વ્યવસ્થા નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાધ ન આવે એ રીતે અંતઃકરણન
સ્વાતંત્ર્યનો અને મુક્ત રીતે ધર્મ માનવાનો, પાળવાનો અને તેનો પ્રચાર કરવાનો સમાન હક્ક છે.
તેમ જ ધાર્મિક સંસ્થાઓ સ્થાપવાનો, નિભાવવાનો, વહીવટ કરવાનો, મિલકતની માલિકીનો અને સંપાદનનો હક્ક છે.
તેમ જ ખાનગી સંસ્થાઓ ધાર્મિક ઉપાસનામાં હાજરી આપવા અંગે સ્વતંત્રતા છે, પરંતું રાજ્ય સરકાર
દ્વારા ચાલતી શિક્ષણસંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં.
|
૯.
|
સંસ્કારી અને શૈક્ષણિક હક્કો
|
ભારતમાં
કોઈ પણ ભાગમાં વસતા અને પોતાની અલાયદી ભાષા લિપિ અથવા સંસ્કાર ધરાવતા નાગરિકોના કોઈ વિભાગને તે જાળવી રાખવાનો હક્ક છે.
તેમ જ આવી લધુમતીઓને તેમની પસંદગીની શિક્ષણસંસ્થાઓ સ્થાપવાનો અને વહીવટ કરવાનો હક્ક છે.
|
૧૦.
|
સંવિધાનમાંના ઉપાયોનો હક્ક
|
આ સાથે ઉપર જણાવેલ હક્કોનો અમલ કરવા યોગ્ય કાર્યવાહી કરવા ઉચ્ચતમ ન્યાયાલય પાસે દાદ માગવાના હક્કથી કાર્યવાહી કરવા બાંયધરી બંધારણથી આપવામાં આવે છે.
|
|
|
Page 1 [2] [3] |