વડોદરા જિલ્લાનાં પોલીસ સ્ટેશનોની મુલાકાતે આવતી મહિલાઓ માટે અલાયદી સુવિધા પૂરી પાડવાના આશયથી નાગરીક અધિકાર પત્ર અન્વયે સરકારશ્રીની તમામ કચેરીઓમાં "જન સેવા કેન્દ્રો" ઉભા કરાવવા અંગે સરકારશ્રી તરફથી આયોજન કરવામાં આવેલ છે. જે તમામ કચેરીઓમાં એક સમાન હશે. જે લોક અનુદાન/ભંડોળથી કાર્યરત થનાર છે. જે જનસેવા કેન્દ્ર તરીકે ઓળખાશે
આ કેન્દ્રમાં નાગરીકો માટે બેસવાની વ્યવસ્થા લખવાની વ્યવસ્થા તથા પીવા માટે પાણીની વ્યવસ્થા, અરજીઓ સ્વીકારવાની વ્યવસ્થા તથા જરૂરી ફોર્મ વિગેરે મેળવવા માટેની અઘતન વ્યવસ્થા પુરી પાડવામાં આવશે. નાગરીક અધિકાર પત્ર પરત્વે થનાર કાર્યવાહીની વિસ્તૃત સમજ / માર્ગદર્શન આપવામાં આવશે.
આ કેન્દ્ર માટે નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીની જન સંપર્ક અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. જેથી અરજદારે વધુ રજુઆત માટે તેમજ તે અંગે માહિતી માટે જરૂર જણાયે તેઓશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.
આ કેન્દ્રમાં લોકોને આપવામાં આવતી સેવાના સંદર્ભમાં જે વહીવટી ખર્ચ થવા પાત્ર છે. તે સેવા ચાર્જ તરીકે અરજી દીઠ-રૂ.ર૦/- (વીસ) ની મર્યાદામાં નાગરીકો પાસેથી વસુલ લેવાની સત્તા જે તે કચેરીના વડાને આપવામાં આવેલ હોઈ જરૂર જણાયે સેવાચાર્જ વસુલ લેવામાં આવશે અને આ અંગેની થનાર આવક નો ઉપયોગ આ કેન્દ્રને વધુ સક્ષમ તથા સુવિધાવાળુ બનાવવા માટે કરવામાં આવશે.
આ જનસેવા કેન્દ્રમાં જનતા હીત માટે તેમજ સુખ સુવિધા માટે પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉપરોકત જનસેવા કેન્દ્રનો મુદા લેખ
પોલીસ જનસેવા કેન્દ્રમાં આવતા દરેક અરજદાર / નાગરીક ખુબજ મહત્વની વ્યકિત છે. તેઓ કોઈપણ રીતે આપણા ઉપર આધારીત નથી પરંતુ આપણો આધાર તેમની ઉપર રહેલો છે. આપણે સેવા આપીને તેમની ઉપર ઉપકાર કરતા નથી તે આ કેન્દ્રમાં પધારી સેવા કરવાની તક આપીને આપણને કૃતાર્થ કરે છે.
વડોદરા ગ્રામ્ય જીલ્લાના પાદરા, વડુ, વડોદરા તાલુકા, વરણામા, સાવલી, ભાદરવા, ડેસર, મહીલા, ડભોઇ, કરજણ, વાધોડીયા, શીનોર, ચાણોદ પો.સ્ટેશનોમાં (૧) જનસેવા કેન્દ્ર (નાગરીક સુવિધા કેન્દ્ર) ખોલવામા આવેલ છે (ર) બેસવાની વ્યવસ્થા (૩) લખવાની વ્યવસ્થા (૪) પીવા માટે પાણીની વ્યવસ્થા (૫) અરજીઓ સ્વીકારવાની વ્યવસ્થા (૬) જરૂરી ફોર્મની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
|